Radhanpur

રાધનપુર ના મીરાં દરવાજા પાસે આખલા ની અડફેટે ૧૮ વર્ષ ના યુવક નુ મોત, અબ્દુલ રજાક નામનાયુવક નું મોત થતા પરિવારમાં માતમ છવાયો.

રાધનપુરમાં રખડતા આખલાઓ ના કારણે નિર્દોષ ૧૮ વર્ષ યુવક અને એક આધેડ નુ મોત થતાં પરિવારોમાં ઘેરો શોક જોવા મળ્યો.

રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે બે નિર્દોષના મોત ની ઘટના અવારનવાર બનતા લોકો રોષ ઠલવાતા જોવા મળી રહ્યા છે

પાટણ જિલ્લાના રાધનપુર નગરમાં ઘણા સમય થી અખલા ઓ મેઈન બજાર માં રખડતા જોવા મળે છે.જાહેર જગ્યાએ અખલા ઓ ભેગા થઈ ને તોફાનો કરતા અવાર નવાર જોવા મળતા હોય છે.જેમાં રાહદારી ઓ પોતાના વાહન લઈ નીકળ્યા હોય છે ત્યારે આખલા ના તોફાન થી જીવ જોખમાય તે રીતે ડરી ડરી ને શહેર ના રસ્તા ઉપર નીકળવું પડતું હોય છે.આવો જ એક આખલા ના તોફાન ના લીધે 18 વર્ષીય યુવાને જીવ ગુમાવતા પરિવારજનો માં માતમ છવાયો હતો

18 વર્ષીય યુવક ઘાંચી અબ્દુલ રજ્જાક મીરા દરવાજા પાસે કામ અર્થે ગયેલ તે સમયે આખલા એ આ યુવાન ને અડફેટે લેતા યુવક નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત નીપજ્યું હતું.

જ્યારે ૧૦ દિવસ અગાઉ પણ આખલાઓ ના હુમલાથી એક વૃધ્ધનું મોત નીપજ્યું હતું.

ઘણા સમય થી આખલા ઓ આતકના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે નગરપાલિકા ના સત્તાધીશો ચૂપ જોવા મળી રહ્યા છે.રાધનપુર નગર ની કોઈ એવી જગ્યા નહીં હોય ત્યાં આખલા ન દેખાય આમ નગરપાલિકા ની બેદરકારી હોવાનું લોકો માં જણાવી રહ્યા છે. હાલ તો ઘાંચી પરીવારે પોતાનો લાડકવાયો દીકરો ખોતા પરિવારજનો માં માતમ સાથે આક્રોસ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા ક્યારે જાગશે તે સમજાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024