Farmers
પંજાબ અને ઉત્તર ભારતના ખેડૂતો (Farmers) કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ ધારાના વિરોધમાં રેલવેના પાટા પર બેસી જતાં 41 ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત 11 ગાડીઓના રૂટને ઘટાડવામાં આવ્યા હતા. નવી દિલ્હી-કટરા રૂટ પર સૌથી ખરાબ અસર પડી હતી.
આમ ખેડૂતોના વિરોધ આંદોલનના કારણે રેલવે વ્યવહાર પર અસર પડી હતી. ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ 2020 અને ફાર્મર્સ સર્વિસ એક્ટ 2020નો આખા દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સંસદમાં આ કાયદો બનાવ્યો ત્યારથી જ દેશના ખેડૂતો તેને પરત લેવા આંદોલન કરી રહ્યા છે. પંજાબ વિધાનસભાએ તો કેન્દ્ર સરકારની વિરૂધૃધ જઇ આ કાયદાનો બ્લોક કરી દીધો હતો.
આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR
ત્યાર પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિનંદર સિંહે ગવર્નર વી પી સિંહની મુલાકાત લીધી હતી અને તેમને ચોથી નવેમ્બરે પંજાબ વિધાનસભાએ પાસ કરેલા બિલ પર સહી કરવા વિનંતી કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.