APMC

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો રાજ્યમાં કહેર દિવસ જતા વધી રહ્યો છે. ઉંઝાનાં એપીએમસીનાં (APMC) વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાથી નિધન થયું છે. દોઢ મહિનાથી શિવમ રાવલ કોરોના વાયરસનાં સંક્રમણની સારવાર લઇ રહ્યાં હતાં.

ઉત્તર ગુજરાતના ઉંઝા APMC ના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હારી જતા તેમનું નિધન થયું છે. તથા અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી તેમની સારવાર ચાલતી હતી.

જો કે, તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દેવાઈ હતી. પરંતુ મોડી રાત્રે તેમની તબિયત લથડતા રાત્રે 2 વાગે નિધન થયું. ઉપરાંત ઉંઝા APMC ના ચેરમેન અને ધારાસભ્યો તેમના સતત સંપર્કમાં હતા. તથા સારામાં સારી સારવાર મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં હતાં.

શનિવારે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોરોના વાયરસના 1432 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1470 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 16 દર્દીઓના મોત થયા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024