24×7 અધિકારીઓને હાજર રહેવા કલેકટરનું ફરમાન, તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ
કોવીડ હોસ્પિટલોમાં પણ ઓક્સીજનની પુરતી વ્યવસ્થા કરાઈ, ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા સુચના
સરપંચો, તલાટીઓને પણ એલર્ટ રહેવા કલેકટરનું સુચન, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાતે જ જનતા કર્ફ્યું રાખે એવી અપીલ
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
- રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે: ભૂવાની મેલી મુરાદ પૂરી ન થતાં યુવતીએ પગલું ભર્યું.
- આજનું રાશિફળ (19-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજે બુધવારનો દિવસ?
તૌકતે વાવાઝોડાને લઈને મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. જીલ્લાના તમામ અધિકારીઓને ૨૪ કલાક હાજર રહીને હેડ ક્વાર્ટર નહિ છોડવા કલેકટર દ્વારા સુચના આપી દેવાઈ છે. તો કોવીડ હોસ્પિટલોમાં પણ આ દિવસોમાં ઓક્સીજનની અછત ના વર્તાય તે માટે પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. ઉપરાંત, જીલ્લાના સરપંચો અને તલાટીઓને પણ એલર્ટ કરી દેવાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાતે જ જનતા કર્ફ્યું રાખે અને તૌકતે વાવાઝોડાનો ખતરો તળે નહિ ત્યાં સુધી કોઈ ઘરની બહાર પણ ના નીકળે તેવી કલેકટર દ્વારા અપીલ કરાઈ છે.