કોરોના વાયરસની મહામારીને લઈને પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના આદેશ અનુસાર રાત્રી ફરફ્યુમાં રાત્રીના ૦૯:૦૦ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.
તેમ છતાં પાટણ શહેર સહિત જિલ્લામાં લોકો કોરોનાને હળવાશથી લેતા હોય તેમ જાહેર માર્ગો ઉપર સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા નથી અને માસ્ક પણ પહેરતા નથી.જેને લઈને પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરે દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પાટણ જિૡામાં કોરોના વાયરસ મહામારીમાં હાલમાં પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ કેસને હળવાશથી ન લઈ લોકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તેવી અપીલ કરી હતી તો સાથે રાતે પાટણ શહેરમાં શરૂ કરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમમાં પણ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
- રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે: ભૂવાની મેલી મુરાદ પૂરી ન થતાં યુવતીએ પગલું ભર્યું.
જેમાં હવેથી સવારના ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે પ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રસીકરણ કાર્યક્રમ ચાલુ રહેશે તેવું પાટણ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.જેથી મોટી સંખ્યામાં લોકો રસીકરણનો લાભ લઇ શકે અને કોરોનાના સંક્રમણ સામે જંગ જીતી શકે તેવો અનુરોધ પાટણ પ્રાંત અધિકારી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.