પાટણ શહેરના વલ્ર્ડ હેરીટેઝ માર્ગ પર પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કરી આ વિસ્તારને ઝળહળતો રાખવાનો દાવો કર્યો હતો ત્યારે વલ્ર્ડ હેરીટેઝ માર્ગ પર અનેક ઐતિહાસિક ધાર્મિક સ્થાનો સહિત રાણીની વાવ, બગીચાઓ અને આંગણવાડી સહિત સ્કૂલો આવેલી હોવાથી અહીં આવતા જતા પ્રવાસીઓની સાથે ધાર્મિક લોકો અને વહેલી સવારે ચાલવા જતાં લોકોને અગવડ ન પડે તે માટે સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવી હતી.

પરંતુ આ સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવી ત્યારથી ઐતિહાસિક કાલિકા મંદિરની સામે નાંખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં પડી હોવાનું સ્થાનિક લોકોએ આક્ષોપો કર્યાં હતા. એટલું જ નહીં પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓનું પણ યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતાં અને આ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈજ નિકાલ ન હોવાથી વરસાદી પાણીને લઈ સ્ટ્રીટ લાઈટનો પોલ ઘસી જવાના કારણે આખો નમી જવા પામ્યો છે.

જેને લઈ સામાજીક આગેવાન ભરત ઠાકોર દ્વારા આ અંગેની જાણ ચીફ ઓફિસરને ટેલીફોનિક કરતાં તેઓએ ખોડભાઈ પટેલને વાત કરવાનું જણાવ્યું હતું. ત્યારે ખોડભાઈ પટેલને આ અંગેની ફરીયાદ ભરત ઠાકોર દ્વારા ટેલીફોનિક કરતાં ખોડભાઈ પટેલે આ કામ નગરપાલિકામાં આવતું ન હોવાનું જણાવી ઉધ્ધતાઈભર્યો જવાબ આપ્યો હોવાના પણ આક્ષાપેો કર્યાં હતા.

જોકે આ સ્ટ્રીટ લાઈટ પડવાના વાંકે ઉભી છે ત્યારે સ્ટ્રીટ લાઈટ પાછળથી પસાર થતી વીજ લાઈન પર પડવાની પૂરેપૂરી સંભાવના હોવાથી મોટી જાનહાની સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સ્થાનિક લોકો સેવી રહયા છે. જેથી પાલિકા દ્વારા પડવાના વાંકે ઉભેલા આ સ્ટ્રીટ લાઈટના પોલને વહેલી તકે યોગ્ય તેની મરમ્મત કરી તેનું કાયમી નિકાલ લાવવા ભરત ઠાકોરે માંગ કરી હતી. જો આ સ્ટ્રીટ લાઈટ પડવાથી સ્થાનિક લોકોના જાનની કે માલને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024