સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના સતત એક્ટિવ, જાગૃત અને યુવા ઉપ.સરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પાલનપુર એસ.ટી.ડીવીઝન અને સિધ્ધપુર એસ.ટી.ડેપોમા વારંવાર રજૂઆતો કરીને જણાવેલ કે દશાવાડા થી સુરત નાઈટ એસ.ટી બસ.ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના ગામો કલ્યાણા, દશાવાડા, કુંવારા, મેત્રાણા, ઉમરૂ, રસુલપુર અને ગાગલાસણ જેવા વિવિધ ગામોના લોકો મોટી સંખ્યામાં સુરત, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલ હોય એ લોકોને પોતાના વતનમાં સામાજિક પ્રસંગે અને ધાર્મિક તહેવારોમાં આવવા અને જવામાં પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવી પડતી જે દરેક લોકોને આર્થિક રીતે પોસાય તેમ ના હોય જેથી સરકારી બસમાં દરેક મુસાફરોને ભાડામાં આર્થિક રીતે ઘણું ભારણ ઘટી જાય તેમજ એસ.ટી.નિગમને આવક થાય ને આ વિસ્તારના લોકોને ઘર આંગણે સલામત અને સસ્તા ભાડામાં મુસાફરી નો લાભ મળી રહે તે માટે દશાવાડા-કલ્યાણા-સુરત નાઈટ બસ ચાલુ કરવા માટે પાલનપુર એસ.ટી.ડીવીઝન અને સિધ્ધપુર એસ. ટી.ડેપોમા રજૂઆતો કરવામાં આવેલ જેને ધ્યાને લઈને આ બસ ચાલુ કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળેલ.
આ એસ.ટી.બસ ગઈ કાલે સાંજે 6:30 કલાકે કલ્યાણા ગામે આવતા કલ્યાણા ગામના જાગૃત અને સક્રિય ઉપ.સરપંચ અને ડેલીગેટ ભૂપેન્દ્રસિંહ વાઘેલા એ બસના ડ્રાઇવર અને કંડકટર ને શાલ ઓઢાડીને સન્માન કરેલ તથા પેંડા ખવડાવી ને મોં મીઠું કરાવેલ. આ સમયે સારજીજી ઠાકોર (પુર્વ સરપંચ કલ્યાણા), જેઠાભાઈ દેસાઈ, કમળાબેન બારોટ, છગુજી વાઘેલા, કાન્તિભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, રાજુભાઈ નાયક, વિક્રમસિંહ વાઘેલા, જયદિપસિંહ વાઘેલા, જગદિશભાઈ પંચાલ, ડાહ્યાભાઈ નાયક, ભગત ચૌહાણ, ભરતભાઈ નાયક તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવિન એસ.ટી.બસ ચાલુ કરવા બદલ હર્ષ અને ઉલ્લાસભેર આવકારીને એસ.ટી.નિગમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. વિશેષ આભાર સિધ્ધપુર એસ.ટી.ડેપોમા સંચાલક લક્ષ્મણસિહ રાજપૂતનો માનેલ.
સિદ્ધપુર ડેપો થી નવીન બસ નો રૂટનો રાત્રી સમય
સિદ્ધપુર થી દશાવાડા 17:15 વાગ્યે લોકલ વાયા કાકોશી વાઘરોલ દશાવાડા જશે.
18;10 વાગ્યે સાંજે દશાવાડા થી ઉપડીને કલ્યાણા 6:30 વાગ્યે અને ત્યાંથી સુરત ડિડોલી જશે વાયા કલ્યાણા.. કુંવારા.. ગામમાં મેત્રાણા..રસુલપુર..ઉમરું ચોકડી સિદ્ધપુરડેપો..ઉંઝા..મહેસાણા..અમદાવાદ….વડોદરા..ભરૂચ..અંકલેશ્વર..સુરત cbs.. ડિડોલી સવારે. 3:40 પહોંચશે.
રીટર્ન રૂટ 22:40 વાગ્યે રાત્રે ડિડોલી થી ઉપડશે
સુરત cbs 23:20 વાગ્યે ઉપડી ને વાયા કામરેજ..કિમ..અંકલેશ્વર..ભરૂચ….વડોદરા બાયપાસ…અમદાવાદ…રાણીપ..મહેસાણા..ઉંઝા..સિદ્ધપુર..ઉમરું ચોકડી..મેત્રાણા રોડ…કુંવારા ગામ..કલ્યાણા…દશાવાડા જશે.
દશાવાડા થી રીટર્ન ધનાવાડા, વાઘરોલ, કાકોશી થઈને સિધ્ધપુર જશે.
તો આ વિસ્તારના તમામ ગામોના મુસાફરોએ આ નવિન ચાલુ કરેલ એસ.ટી.બસનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જણાવવામાં આવે છે. આ બસ સિદ્ધપુર ના તમામ ગામ ના લોકો જે સુરત માં રહે છે તેમને ખાસ ઉપયોગી થશે તેથી આ સમાચાર જાણીને લોકોમાં આનંદ અને હર્ષની લાગણી જોવા મળેલ.