Patan

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું..

પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી…

બેકારી અને મોંઘવારીને કારણે અનેક નવ યુવાનો નાસીપાસ થઈ આત્મહત્યા કરતા હોવાના બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવા જ એક પાટણના મુસ્લિમ યુવાને શનિવારે બપોરે અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઈ ને શહેરના નીલમ સિનેમા વિસ્તાર માં આવેલ એક બંધ ડેલામાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના નિલમ સિનેમા થી મોટી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ ચંદન મસાલા વાળા ના બંધ ડેલા ની અંદરના ભાગે મુસ્લિમ પરિવાર ના યુવાને પોતાની જાતે જ ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા અને આ બનાવની જાણ વિસ્તારમાં રહેતા રહિશો ને થતાં લોકો ના ટોળે ટોળાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.તો બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી તેનું પંચનામું કરી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ માં ખસેડી મૃતક યુવાનનાં પરિવારજનોને જાણ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લેનાર મુસ્લિમ યુવકનું નામ હમીદ શબ્બીર ખાન પઠાણ ઉ.વ.19 રહે. પનાગર વાડા હોવાનું તેમજ તે અસ્થિર મગજ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024