રખડતા આખલાનો ત્રાસ ચરમસીમાએ: પાટણમાં એક વ્યક્તિ પર આખલાએ અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી
પાટણના ખાલકશાપીર રોડ પર આવેલી યશનગરની બાજુમાં આવેલી સ્વપનદીપ સોસાયટીમાં બનાવ બનવા પામ્યો હતો.
મણીલાલ છગનલાલ ડબગર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલાએ તેમના પર હુમલો કર્યો. તેમને નીચે પાડી ફન્ગોળીને ઇજા પહોંચાડી હતી. ત્યારે બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવીને બચાવ કર્યો હતો.
તો આખલાએ વ્યક્તિને શરીરમાં પીઠ પાછળ, પેટ અને પગમાં અસહ્ય ઈજા પહોંચાડી હતી.
108 એમ્બ્યુલન્સ પાટણ દ્વારા તપાસ કરતા તેઓ બીપી ના દર્દી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ