A promising young man dies in Khansarovar

પાટણ શહેરના ખાનસરોવરમાં એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. યુવાનની લાશની નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી, પરંતુ લાશનો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

મળતી માહિતી મુજબ, મોદી સમાજના એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટના અંગેની જાણ લોકોને થતાં લોકો ખાનસરોવર ખાતે દોડી આવ્યા હતા.

મૃતકની લાશની શોધખોળ કરવા માટે ફાયર ફાયટરના તરવૈયાઓએ તપાસ હાથ ધરી હતી. જોકેસ, હજુ સુધી લાશનો કોઇ પત્તો મળ્યો નથી. બનાવની જાણ થતાં પાટણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024