Ahmadabad
અમદાવાદ (Ahmadabad) શહેરમાં વધુ કેટલાક વ્યાજખોરોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી રૂપિયા પરત ન કરી શકતા વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે.
અમદાવાદ (Ahmadabad) ના સૈજપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રાજાભાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમને અજિત સિંધી પાસેથી દર મહિને 5000 વ્યાજે રૂપિયા 25 હજાર લીધા હતા. તથા પીન્ટુ પાસેથી રૂપિયા 10 હજાર લીધા હતા અને નિખિલ સિંધી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. તેમાં નિખિલે 5 હજાર રૂપિયા પહેલા કાપી લીધા હતા અને બીજા રૂપિયાના રોજના 500 લેખે સો દિવસ સુધી ચૂકવવાના હતા.
જો કે, લૉકડાઉન આવી જવાથી ફરિયાદી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેને કારણે તે વ્યાજખોરોને રૂપિયા ચૂકવી ન શકતા અજિત, નિખિલ અને તેના પિતા તેને વારંવાર રૂપિયા માટે દબાણ કરતા હતા. તથા ધમકી પણ આપતા હતા.
આ ઉપરાંત નિખિલ અને તેના પિતાએ ફરિયાદીને મેઘાણીનગર પોલીસ સ્ટેશનની બહાર બોલાવીને ધમકી આપી હતી કે, તું મારી મૂડી અને વ્યાજના રૂપિયા આપી દે નહીં તો તારી સામે પોલીસ ફરિયાદ કરીશું. અને જો પૈસા નહિ આપે તો ગોળી મારી દઈશું.
આ બાદમાં 20મી સપ્ટેમ્બરની મોડી સાંજે નિખિલના કાકા કમલેશ સિંધીએ ફરિયાદીને ફોન કરી નિખિલના પૈસા આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દઈશ, જાન થી મારી નાખીશ. એવી ધમકી આપી હતી. આનાથી કંટાળીને ફરિયાદી એ ફિનાઇલ પી લીધું હતું. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અત્યારે પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.