Ahmed Patel

Ahmed Patel

રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ (Ahmed Patel) નું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો.

તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ ફાઈ યુક્ત બનાવવામાં આવ્યું હતું. આ સાથે આ ગામમાં ઉર્જા બચાવવા માટે ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામની શાળાને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પણ જુઓ : દેશમાં કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીએ આપ્યું મોટુ નિવેદન

અહેમદ પટેલના નિધન બાદ સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અહેમદ પટેલના નિધનના કારણે મે એક મિત્ર અને વફાદાર સાથી ગુમાવ્યા છે. મે એક એવા સાથીને ગુમાવ્યા છે કે જેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024