Banaskantha Tadavma dubvathi mot

Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં કરશનપુરા નો 40 વર્ષીય યુવક પટેલ શંકરભાઈ ધુડાભાઈ પોતે રાત્રે બે વાગ્યે ઘરેથી નીકળી ને ખોડા તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ મૂકી ને તળાવમાં પડ્યો હતો.

ત્યારે સવારે વહેલા ઘરના લોકો એ શોધખોળ આદરી હતી જેમાં એમની કોઈ ભાળ મળી નહોતી પરંતુ કદાચ સવારે વહેલા લોકો તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ જોઈ ને મૃતક ના પરિવાર ને જાણ કરી હતી. ત્યારે તાત્કાલીક ધોરણે ચાંગા ગામના વતની દિનેશ પટેલ તરવૈયા ની મદદ થી લાશ બહાર કાઢી હતી, અને પોલીસ મથકે જાણ કરતાં દિયોદર dysp ડી. ટી. ગોહીલ અને શિહોરી cpi સહિત પીએસઆઈ બી એલ રાયજાદા ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૃતક યુવકના મોત થી સમગ્ર ખોડા ગામમાં શોકની લાગણી છવાઈ હતી અને મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. હજુ સુધી કોઈ મોતનું ચોકકસ કારણ જાણી શકાયું નથી. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ને સત્ય હકીકત તારવવી ને સાચી દિશા માં તપાસ હાથ ધરાઇ છે.

અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024