Bhupendrasinh Chudasama
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ સ્કૂલો ખોલવા અંગે મોટું નિવેદન કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે.
કેન્દ્ર સરકારની અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. ઉપરાંત ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- પાટણ: પૂર્વ MP અને પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાનું થયું અવસાન
- SBI ATM નો આ મહત્વનો નિયમ 18 સપ્ટેમ્બરથી બદલાઈ જશે
રાજ્યમાં 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. સરકારે જણાવ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.