કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે (Cabinet Minister Dilip Thakor) હારીજ ખાતે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો (Corona virus vaccine)
રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ તમામ લોકોને રસી લેવા અપીલ કરી
હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રીદિલીપકુમાર ઠાકોરે કોરોના વાયરસ પ્રતિરોધક રસીનો (Corona virus vaccine) પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ મંત્રીશ્રીએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોરોના વાયરસ પ્રતિરોધક રસીનો ડોઝ લીધા બાદ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, કોરોના મહામારી સામે બાથ ભીડવા દેશના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી સ્વદેશી રસીનો ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મેં પણ આજે આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મને રસી લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તમામ લોકોએ આ રસી લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા સમગ્ર દેશમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસીકરણ બાદ હાલમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫થી ૬૦ વર્ષના કો-મોર્બિડિટી ધરાવતા નાગરીકોને રસી આપવામાં આવી રહી છે.