ધોરાજી માં અનુસૂચિત જાતિના લોકો અને પટેલ સમાજ વચ્ચે જૂથ અથડામણ
ધોરાજી ના કુંભારવાડા માં બે સમાજ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ કુંભાર વાડા માં ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હોવાની વાત સામે આવી રહી છે. સિદ્ધાર્થ સામજીભાઈ ચૌહાણ અને તેમનો મિત્ર PGVCAL ની ગાડી લઈ કુંભાર વાડા માં નીકળતા ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હતી.
અનુસૂચિત જાતિ ના લોકો અને પટેલ સમાજ વચ્ચે પથર મારો થતા કુંભાર વાડા ની તમામ દુકાનો બંધ થઇ જવા પામી હતી. અનુસૂચિત જાતિના ત્રણ યુવકો ને ઇજા થતા ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇ ધોરાજી પોલીસ દ્વારા શહેર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
રિપોર્ટર :- વિમલ સોંદરવા, ધોરાજી
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ