કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે

પોસ્ટ કેવી લાગી?

Farmers

સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરૂદ્ધ ખેડૂતો (Farmers)નું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યો છે. આજે બિલના વિરોધમાં વિભિન્ન ખેડૂતો સંગઠનોએ દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. બિલને લઇ હરિયાણા અને પંજાબમાં સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે.

મળતી માહિતી મુજબ આજે 31 ખેડૂત સંગઠનોએ પંજાબ બંધનું આહ્વાન કર્યુ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ ખેડૂતોને તેમની લડાઈમાં સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારે પ્રદેશમાં કલમ 144  ભંગની કોઈ એફઆઈઆર નોંધાશે નહીં. 

આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ

મુખ્યમંત્રીએ ખેડૂત દેખાવકારોને અપીલ કરતા કહ્યું કે આંદોલન દરમિયાન કાયદા વ્યવસ્થાનો ભંગ થવો જોઈએ નહીં. આંદોલન દરમિયાન લોકોને અસુવિધા ન થાય અને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

આ પણ જુઓ : પ્રખર ક્રિમીનલ લૉયર ઉજ્જવલ નિકમે ડ્રગ કેસ અંગે કહ્યું …

હરિયાણામાં પણ ભારતીય ખેડૂત ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ સુખદેવ સિંહે પંજાબના દુકાનદારોને ભારત બંધ પર તેઓ દુકાનો બંધ રાખે અને ખેડૂતોનું સમર્થન કરે તેવી અપીલ કરી છે. હરિયાણા પ્રદેશના ગૃહમંત્રી અનિલ વિજે ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી. તેમણે ડીજીપીને હડતાળ દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે નિર્દેશ આપ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures