છત્તીસગઢના બલરામપુરમાં એક ભાજપ સમર્થકની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચૂંટણી પરિણામનાં દિવસે શરૂઆતમાં કોંગ્રેસને લીડ મળતી જોઈને આ વ્યક્તિ ચિંતામાં પડી ગયો હતો. ત્યાર પછી આ વ્યક્તિ મંદિરમાં ગયો અને લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે માનતા માની. એ પણ પૈસા ચઢાવવાની કે વ્રત રાખવાની નહીં, પણ પોતાની આંગળી કાપીને ધરી દેવાની માનતા માની હતી. 

છત્તીસગઢમાં ભાજપ 11માંથી 10 લોકસભા બેઠકો પર જીત્યું હતું. દેશની કુલ 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 240 પર અને સાથી પક્ષોનાં સહયોગથી 293 જેટલી બેઠકો જીતી શક્યું હતું. છત્તીસગઢના બલરામપુરનાં (Chattisgarh Balrampur) દીપપડીના રહેવાસી આ ભાજપ સમર્થકનું નામ દુર્ગેશ પાંડે છે. તેની ઉંમર 30 વર્ષની છે અને તે ભાજપાનાં મોટા સમર્થક હોવાનો દાવો કરે છે. 4 જૂને, ચૂંટણી પરિણામોની જાહેરાતના દિવસે, જ્યારે ભાજપ શરૂઆતમાં પાછળ જોવા મળી રહ્યું હતું, ત્યારે દુર્ગેશ પાંડે નારાજ થઈ ગયા અને સરનામાં કાલી માના પ્રાચીન મંદિર પહોંચ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જો ભાજપ જીતશે તો આંગળી કાપીને કાલી માને અર્પણ કરશે. 

સાંજે અંતિમ પરિણામ આવ્યા ત્યારે ભાજપ લીડ પર પહોંચી ગયું હતું. પોતે વ્રતનું પાલન કરવા માટે રાત્રે દુર્ગેશે મંદિરમાં જઈને પોતાના ડાબા હાથની આંગળી કાપીને કાલી માને અર્પણ કરી દીધી હતી. જોકે થોડા સમય બાદ પણ દુર્ગેશના હાથમાંથી લોહી નીકળવાનું બંધ થયું ન હતું. તેણે કપડું બાંધીને લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં લોહી વહેતું બંધ ન થયું. પરિવારના સભ્યોને મદદ માટે બોલાવવા પડ્યા હતા. આખરે આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે ડોકટર્સે બાદમાં કહ્યું હતું કે હવે તે ખતરામાંથી બહાર છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024