હિંમતનગર: નદીના કિનારે સ્મશાન ગૃહમાં સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાયો

પોસ્ટ કેવી લાગી?

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાર્વત્રિક વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરમાં નદીમાં પુર આવ્યું. દરમિયાન હાથમતી નદીના કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા વાયરલ કરેલા વિડીયો મુજબ નદી પાસે એક સ્મશાન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો અને પાણીના વહેણમાં લાકડાઓ પણ અલગ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ વિજયનગરના પરવઠ ગામના વૃદ્ધનું સોમવારે મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પૂર આવતા વૃદ્ધનો સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાઈ જતાં સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.

જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan