Color
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાના સાત વાર કોઇને કોઇ ભગવાન અને ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. ક્યા રંગના (Color) કપડા પહેરવા શુભ માનવામાં આવે છે? તેનો ઉલ્લેખ પણ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
સોમવાર
સોમવારના દિવસે સફેદ રંગ (Color) પહેરવામાં આવે તો મન શાંત અને ખુશખુશાલ રહે છે. સોમવારને ચંદ્ર દેવનો દિવસ ગણવામાં આવે છે. તેનાંથી પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
મંગળવાર
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, મંગળવારને હનુમાનજીનો દિવસ માનવમાં આવે છે. તથા હનુમાનજી અને મંગળ ગ્રહને શાંત રાખવા માટે આ દિવસે લાલ અને નારંગી રંગનાં કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
બુધવાર
બુધવારના દિવસે લીલા કલરનાં કપડાં પહેરવાં શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલો કલર જરૂર પહેરશો તો તમારી મનગમતી નોકરી અને જીવનસાથી મળશે. તમને પરિણામ સારુ જ મળશે.
ગુરૂવાર
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, ગુરૂવાર એટલે ગુરૂનો દિવસ. હિંદુ ધર્મમાં ગુરૂઓનાં દેવ વિષ્ણુ ભગવાન માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ (Color) પ્રિય છે. એવામાં ભાગ્યને ચમકાવવા માટે પીળા રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ.
શુક્રવાર
શુક્રવારનો દિવસ સફેદ રંગ સાથે સંબંધ ધરાવે છે. જો તમે ઈચ્છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા શાંત રહે તો શુક્રવારનાં દિવસે સફેદ રંગ અચુક પહેરો. આમ કરવાથી પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત થશે.
શનિવાર
શનિવારે શનિદેવનો વાર હોવાને કારણે આ દિવસે કાળા રંગનાં વસ્ત્રો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ દિવસે કાળા રંગનાં વસ્ત્ર પહેરવાથી શનિદેવની કૃપા થઈ શકે છે. અને કાર્યક્ષેત્રમાં યશ, સન્માન મળે છે.
રવિવાર
રવિવાર એટલે સૂર્યનો દિવસ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં જલ્દીથી પ્રગત્તિ ઇચ્છતા હો તો લાલ રંગનાં કપડા પહેરો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
