પાટણ જિલ્લાના સમી માં એરંડાના કુણા પાન ખાઈ જતા 40 થી વધુ ઘેટાના નિપજ્યા મોત
પાટણ જિલ્લાના સમી તાલુકાના ચડિયાણા ગામે એરંડાના કુણા પાન ખાતા 40થી વધુ ઘેટાંના ટપોટપ મોત નિપજ્યા છે જેના પગલે માલધારી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના મોત થવા લાગ્યા હતા.
પાટણ: વામૈયામાં મોયણી નદીના પટમાં ઝાડે લટકી યુવક-યુવતીએ કરી આત્મહત્યા
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ના સમી તાલુકા ના ચડિયાણા ગામે ઘેટાં ઘાસચારો ચરતા ચરતા એક ખેડૂત ના ખેતર માં પહોંચી જઈ ખેડૂત ના વાવેલ એરંડા ના પાક ના કુણા પત્તા ખાઈ જતા 40થી વધુ ઘેટાં ના મોત થયા છે. ઘેટાં મારવાના કારણે અરેરાટી મચી ગઇ છે. તો ખેતર માં ઠેર ઠેર ઘેટાં મૃત હાલતમાં પડેલા જોવા મળે છે. એક તરફ ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના ટપોટપ મોત થવા લાગ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આમ એરંડા ના પાન ખાવાથી 40 જેટલા ઘેટાં ના મોત થતા ઘેટાં ના માલિક ને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ