પાટણ તાલુકાના કુણઘેર ગામે અસંગઠિત ક્ષોત્રના ૧પ૦ જેટલા મજૂર કામદારોને યુ વીન-ઈ નિર્માણ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા મજૂર કામદાર વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ગામના ૧પ૦ જેટલા મજૂર કારીગર વર્ગને યુ વિન-ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્ડની મદદથી અસંગઠિત ક્ષોત્રના મજુરોમાં વાત્સલ્ય યોજના, અકસ્માત વીમા યોજના, સ્વાસ્થ્ય વીમા યોજના જેવી વિવિધ પ્રકારની સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લામાં ૬ર૩ સીએસસી સેન્ટર પર યુવીન કાર્ડ માટેની નોંધણી પ્રકિ્રયા ચાલી રહી છે.