આમ આદમી પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષા અરવિંદ કેજરીવાલની વિચારસરણીથી પ્રેરિત થઈ પાટણ જિલ્લાના યુવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
પરંતુ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીમાં કાર્યકરોની નગરપાલિકાની ચૂંટણી બાદ થતી અવગણનાને લઈ વોર્ડ નં.૪માંથી આમ આદમી પાર્ટીમાંથી પટેલ હેતલકુમાર ભોગીલાલ ચૂંટણી લડયા હતા. તેઓએ આમ આદમી પાર્ટીના અધ્યક્ષાને સંબોધીને આમ આદમી પાર્ટી પરિવારમાંથી રાજીનામુ આપ્યું હતું.
આમ, પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના જૂથવાદ અને અવગણનાને લઈ જિલ્લાના કેટલાય યુવાન કાર્યકર્તાઓ પાર્ટીથી નારાજ થઈ તેઓ નિષ્ક્રિય પણ થઈ ગયા હોવાનું જાણવા મળી રહયું છે.