હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા આદિવાસી હોસ્ટેલમાં રોજનું પ૦ રુપિયા ટોકન ભાડુ આપવામાં આવ્યું હતું ત્યારે એસટી સમાજના વિદ્યાર્થીઓને રોજના પ૦ રુપિયા ભાડુ હોસ્ટેલનું પરવડતુ ન હોઈ એનએસયુઆઈ દ્વારા આ અંગે ભાડુ ઘટાડવા લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
જેને યુનિવર્સીટી દ્વારા ધ્યાને લઈ રોજના ૧૭ થી ૧૮ રુપિયા જ ભાડુ લેવાનું નકકી કરી એનએસયુઆઈની રજૂઆતના પગલે એસટી હોસ્ટેલનું ભાડુ ઘટાડવામાં આવતાં જિલ્લા પ્રમુખે યુનિવર્સીટીનો આભાર વ્યકત કર્યો હતો અને તેની સાથે સાથે આજરોજ યુનિવર્સીટી ખાતે આવેલી યુ.જી. અને પી.જી. ગલ્ર્સ હોસ્ટેલમાં પાણી અને જમવાનું રસોડુ વહેલી તકે ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી વહેલી તકે અનિયમિત આવતાં પાણીના પ્રશ્નને અને હોસ્ટેલમાં રસોડુ ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી.
આ અંગે કુલપતિએ યુ.જી. અને પી.જી. હોસ્ટેલમાં પડતી મુશ્કેલીઓને નિવારવા વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે પગલા ભરવા હૈયાધારણા આપી કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.