વૈશ્વિક કોરોના મહામારીની અસર મહદઅંશે ઓછી થતાં તમામ ધાર્મિક સ્થળોને સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો ખોલી દર્શનાર્થીઓને દર્શન કરવાની છુટ આપવામાં આવી છે.
ત્યારે પાટણ શહેરના ખાન સરોવર પાસે આવેલા બાળા બહુચર મંદિરના સ્થાનકે વૈશ્વિક કોરોના પછી દર પૂનમે નિકળતી માતાજીની અસવારી પ્રથમ વખત કાઢવામાં આવી હતી. ત્યારે રક્ષાાબંધનના પાવન પર્વએ નિકળેલી માતાજીની પાલખીના દાતા તરીકે બહુચર મિત્ર મંડળે લાભ લીધો હતો અને માતાજીની અસવારીને વાજતે ગાજતે બાળા બહુચર માતાજીના સ્થાનકની આજુબાજુમાં ફેરવી નીજ મંદિરે પાલખી યાત્રા પરત ફરી હતી.
જેમાં મોટીસંખ્યામાં ભાવિકભકતોએ કોરોના કાળ પછી પ્રથમ વખત નિકળેલી માતાજીની પાલખી યાત્રાના દર્શન-પ્રસાદનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.