પવિત્ર શ્રાવણ માસનું હિંદુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ રહેલું છે. અને સમગ્ર માસ દરમ્યાન ભકતો ભોળાનાથને રીઝવવવા અનેક પ્રકારની પુજા અર્ચના કરતા હોય છે. ત્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવારનું ખુબજ મહત્વ રહેલું છે.
અને સોમવારના દિવસે અલગ અલગ શિવાલયોમાં ભકતો દવારા શિવજીને રીઝવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અને આ વિવિધ કાર્યક્રમો થકી ભકતો ભોળાનાથને ભજીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજ રોજ શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ શહેરના વિવિધ શિવાલયોમાં ભોળાનાથને રીઝવવા ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.
અને અંતિમ સોમવારને લઈ ભાવિક ભકતો મહાદેવના દર્શનાર્થ વિવિધ શિવાલયોમાં ભકતી કરતા જોવા મળ્યા હતા. ત્યારે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં આવેલ ઘુઘરાબાવાની વાડીમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ ખાતે પણ શ્રાવણના અંતિમ સોમવારે શિવભકતો દવારા ભોલેનાથની પૂજા-આરતી સહિત શરીરે ભસ્મ લગાવી ભસ્મ મહાપૂજા કરવામાં આવી હતી.