પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને મદદરૂપ બનવાની ભાવના સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે ભૂખ્યા જનો ને ભોજન મળી રહે તેવા શુભ હેતુથી શ્રી બડા ગણેશ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન પાટણ દ્વારા ગત રવિવાર સંકટ ચતુથી ના પવિત્ર દિવસથી શહેરના

શ્રી દેવ કોમ્પ્લેકક્ષ ખાતે સાંજના સમયે ભૂખ્યા જનો ને ભોજન પ્રસાદ માટેની નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે દર રવિવારે ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી આ ભોજન પ્રસાદની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર હોવાનું શ્રી બડા ગણેશ શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન ના સભ્યોએ જણાવ્યું હતું.

સંકટ ચતુથી ના પવિત્ર દિવસથી શ્રી દેવ કોમ્પ્લેકક્ષ ખાતે રવિવારે આયોજિત કરાયેલા આ ભોજન પ્રસાદનો લાભ પાટણ શહેરની તમામ જનતાએ ની સંકોચે લાભ લઇ ફાઉન્ડેશનની પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024