પાટણ જિલ્લામાં પ્રસંગોપાત રકતદાન શિબિરો યોજી જરુરીયાતમંદોને રકત પહોંચાડવાનું કાર્ય વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે સરસ્વતી તાલુકાના ભેમોસણ ગામે માયા સેવા સમિતિના આગેવાન સોવનજી ઠાકોર અને નટુજી ઠાકોર સહિત સમગ્ર ટીમે દશરથસિંહ ઠાકોરને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે આ રકતદાન શિબિરમાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા ૭૩ જેટલી બોટલોનું રકતદાન કરીને દશરથસિંહ ઠાકોરને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર અને ઠાકોર સેનાના પ્રમુખ અને તેઓની ટીમના સભ્યો હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024