પાટણ શહેરમાં વસતા ઈંટોવાળા પ્રજાપતિ સમાજ દ્વારા શુક્રવારના રોજ શ્રાવણ સુદ પાંચમના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ શહેરના અનાવાડા ખાતે આવેલ શ્રી ખેજડીયા વીરદાદાના મંદિર પરીસર ખાતે ટોપલા ઉજાણી પર્વની ભક્તિ સભર માહોલમાં સરકારની કોરોના ગાઈડ લાઈન મુજબ ઉજવવામાં આવી હતી .

પાટણમાં વસતા ઇંટોવાળા પ્રજાપતિ સમાજનાં કુળદેવતા અનાવાડા સ્થિત શ્રી ખેજડીયા વીરદાદાનું સ્થાનક આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે . જ્યાં દર શ્રાવણ માસ ની શ્રાવણ સુદ પાંચમના દિવસે વડવાઓની પરંપરા મુજબ ટોપલા ઉજાણી કરવામાં આવે છે આ ટોપલા ઉજાણી પાછળનું મહત્વ પણ અનેરુ છે.

જેમાં બહેન પોતાના ભાઈને ઘરે જઈને ખીર , વડા , પુરી , લાપસી જેવી વાનગીઓ બનાવી પોતાના ભાઈના ઘરે પારણું બંધાય તથા ભાઇની આધિ – વ્યાધી ઉપાધીઓ દૂર થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે.

બહેન દ્વારા ભાઈનાં ધરે બનાવેલ આ વાનગીને સણગારેલા ટોપલામાં ભરીને માથે ઉપાડી શ્રી ખેજડીયા વીરદાદાના મંદિર ખાતે પગપાળા પહોંચતી હોય છે અને વીરદાદાને આ વાનગીનું નિવેધ ધરાવવામાં આવ્યુ હતું . તો મંદિર પરીસર ખાતે સમાજના પરીવારોએ વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરવા સમૂહમાં બેસી વીરદાદાની નેવૈધની પ્રસાદીને આરોગી એકતાના દર્શન કરાવ્યા હતા.

આ પ્રસંગે પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના શ્રધ્ધાળુઓએ ખેજડીયા વીરદાદાને નિવેધ પ્રસાદ ધરાવી આર્શીવાદ મેળવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024