પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દ્વારા વારાહી બારલી ચોકી મંદિર ખાતે રાધનપુર જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
કોરોના ના કાળમાં સેવા આપનાર ડોક્ટરો સેવાભાવી લોકો પોલીસ સ્ટાફનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પાટણ જિલ્લા યુવા મોરચા ભાજપ પ્રમુખ કૌશલ જોશી રાધનપુર ચીકાભાઈ રબારી રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કમલેશ ભાઈ ઠક્કર સહિતના ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં કારગીલ વિજય દિવસ ની કોરોના વોરિયર્સને સન્માનપત્ર આપી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળમાં સારી કામગીરી કરનાર કોરોના વોરિયસોને બિરદાવવામાં આવ્યા હતા.