પાટણ શહેરમાં જીવનધારા કેનાલ રોડ ઉપર આવેલ રત્નમણિ સોસાયટી અને ગણેશ-નગર સોસાયટી વચ્ચે બે ગાયો ઉપર અસામાજિક તત્વો દ્વારા ગળાના ભાગે અને પેટના ભાગે એસિડ નાખવામાં આવતા બંને ગાયો શરીરના ભાગે દાઝતાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં જોવા મળી હતી.
પોલીસ આ બાબતે તપાસ કરી આરોપીઓને પકડી કાર્યવાહી કરે તેવી શહેરના જીવદયા પ્રેમીઓએ માંગ કરી હતી.