ગુજરાત રાજયમાં ૩૦મી જુલાઈના રોજ કેટલાક સરકારી કર્મચારીઓ વય મર્યાદાના કારણે આજરોજ નિવૃત્ત થતા હોઈ જે તે શાખાના કર્મચારીઓ દ્વારા તેઓનો વિદાયમાન યોજવામાં આવ્યો હતો.
ત્યારે આજરોજ ડી.ઈ.ઓ. એ.પી. ઝાલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોઈ ડી.ઈ.ઓ. કચેરીના સ્ટાફ સહિત વિવિધ શૈક્ષાણિક સંકુલોના પ્રાચાર્ય અને શિક્ષાકો દ્વારા તેઓને બુકે, સાલ, શ્રીફળ અને સાકર આપી વિદાય આપી હતી. ત્યારે પાટણ ડાયટના સ્ટાફ સહિત કે.કે.ગલ્ર્સ હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ડી.ઈ.ઓ. એ.પી.ઝાલાને મોમેન્ટો, બુકે, સાલ, શ્રીફળ અને સાકર આપી ભાવભરી વિદાય આપી હતી.
આ પ્રસંગે કમલેશ સ્વામીએ ડી.ઈ.ઓ. પાટણ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોઈ તેઓનું જીવન સુખમય, શાંતિમય અને નિરોગી નિવડે તેવી કે.કે.ગલ્ર્સ હાઈસ્કૂલના સ્ટાફ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.