શ્રાવણના અંતિમ દિવસોમાં શહેરના વિવિધ શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણના કરંડીયા વીર મંદિર ખાતે આવેલા મહાદેવજીના મંદિરમાં રવિવારે સુકામેવાનો શૃંગાર અને અન્નાકૂટ ના મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કરંડિયા વીર દાદા અને મહાદેવજીના પુજારી જયેશભાઇ પંડ્યા દ્વારા ભવ્ય આંગી કરવામાં આવી હતી જેના દર્શનનો લાભ પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લઈ ધન્યતા અનુભવી હતી.