અષાઢ વદ અમાસને દિવાસાના દિવસે દેવીપૂજકોની બહેનો દ્વારા દશામાની અનોખી રીતે પૂજાવિધિ કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. પાટણની સરસ્વતી નદીમાં જઈ દસ માટીના લાડુ બનાવી તેના પર અબીલ, ગુલાલ, કંકુથી સુશોભિત કરી માતાજીની પૂજા વિધી કરી હતી.
સોશીયલ ડિસ્ટન્સ દ્વારા આ કાર્યક્રમ ઉજવાયો હતો. દેશ કોરોનામુકત બને તે માટે વિશેષમાં પટણી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. છેલ્લા પચ્ચીસ વષથી આ ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેમ પટણી સમાજના અગ્રણી પેઈન્ટર પ્રકાશભાઈએ જણાવ્યું હતું.
દેવીપૂજકોની મહિલાઓમાં શિક્ષાણ ઘણુ જ ઓછુ છે પણ સમજદારી તો છે જ તે અહીં જોવા મળી હતી. માસ્ક બાંધી, સોશીયલ ડિસ્ટન્સ જાળવી આ પૂજાવિધિ કરી હતી. ભકિત, શ્રધ્ધા, પૂજાનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો હતો.