પાટણનાં કલારવાડા મહોૡામાં અતિપ્રાચીન રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિરમાં સવારે શિવપૂજા કરવામાં આવે છે. રવિવારે ભગવાન શિવની ખાસ પૂજા એવી પંચવત્ર પૂજા શાસ્ત્રીજી શ્રી ચિરાગભાઇ દ્વારા કરાવવામાં આવી હતી.

આ પૂજામાં ભૂશુધ્ધિ, ભૂતશુધ્ધિ, ભસ્મલપન, અંર્તમાતૃકા પૂજન, બહિંમાતૃકા પૂજન તેમજ ભગવાનનાં પાંચે દિશાનાં પાંચ મુખની સોડષોપચાર પૂજા કરાવવામાં આવી હતી. આ પંચવત્ર પૂજાનું ખાસ વિશેષ મહત્વ શ્રાવણ માસમાં રહેલું છે. આ પૂજામાં યજમાન તરીકે ડો.શૈલેષ બી . સોમપુરા, નિતીનભાઈ રામી, દિનેશભાઈ પટેલ તથા ભરતભાઈ મોદીએ લાભ લીધો હતો.

આ પ્રસંગે પૂજાના યજમાન ડો.શૈલેષ સોમપુરાએ ભગવાન શિવના પાંચેય દિશાના પાંચ મુખની સોડષોપચાર પૂજા વિધિનું વિશેષ મહાત્મ્ય જણાવ્યું હતું. તો પૂજાવિધિ કરાવનાર વિદવાન પંડિતને પંચવત્રની પૂજાનું વિશેષ મહત્વ સમજાવી આ પૂજા કરવાથી આદિ, વ્યાધિ , ઉપાધી અને તમામ દુ:ખો દૂર થતાં હોવાનું જણાવી આ પૂજા સમસ્ત સંસાર માટે કરવામાં આવ્યું હોવાનું જણાવી ભગવાન ભોલેનાથ વહેલી તકે દુનિયામાંથી કોરોના જેવી મહામારીને દુર કરે તેવી પણ પ્રાર્થના કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

તો પૂજાની પૂણાહૂતિ બાદ પૂજાના યજમાનોના હસ્તે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં મહોૡાનાં રહીશો તથા આજુબાજુના નગરજનોએ આ પૂજાનાં દર્શનનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024