પાટણ શહેર સહિત જિૡાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મોટાભાગના અકસ્માતો રોડની બાજુમાં આવેલા મોટા વૃક્ષોના કારણે થતા હોય છે.
જેને લઇને તાજેતરમાં જ પાટણ જિલ્લા કલેકટર દ્વારા રોડની બાજુમાં જ આવેલા અને નડતરરૂપ એવા વૃક્ષો હટાવી દેવા માટે વન વિભાગને આદેશ કર્યો હતો ત્યારે પાટણ સંખારી રોડ ઉપર ગજા ગામ નજીક રવિવારની મોડી રાત્રે એક મોટુ વૃક્ષ ધરાશયી થઇ જવા પામ્યું હતું. પરંતુ સદનસીબે રાિત્રનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.દિવસે આ માર્ગ ઉપર વાહનોની અવર-જવર વધારે રહેતી હોય છે
પરંતુ રાિત્રનો સમય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી પાટણ સંખારી રોડ ઉપર કેટલાય જુના અને સુકાઈ ગયેલા વૃક્ષો આવેલા છે.જે પડવાના વાંકે ઉભા છે. આગામી ચોમાસામાં આ સૂકા વૃક્ષો પડે તો નવાઇ નહિ. ત્યારે જિલ્લા કલેકટરના આદેશ અનુસાર વન વિભાગ દ્વારા પાટણ-સંખારી રોડ ઉપર રોડની બાજુમાં પડવાના વાંકે ઉભેલા વૃક્ષો હટાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.