પાટણ શહેરનાં ખાનસરોવર પાસે આવેલ બાળા બહુચર ખાતે દર પુનમના દિવસે બહુચરમાતાની અસ્વારી વાજતે ગાજતે અને ભકિત સાથે કાઢવામાં આવતી હોય છે.
તે સંદર્ભે ગત રોજ ભાદરવા સુદ પુનમના રોજ પણ માતાજીની અસ્વારી વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. ત્યોર ઉપસ્થિત ભાવિક ભકતો દવારા બહુચર માતાજીના નાદ સાથે સમગ્ર વાતારવણ ને ગજવી મુકતા ભકિતના રંગે રંગાઈ જવા પામ્યું હતું તો બાળા બહુચરની અસ્વારી મંદિરનું પરીભ્રમણ કરી પરત નીજ મંદિરે ફરી હતી.
મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ માતાજીની અસ્વારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.