હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સીટી પાટણ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલ ત્રણેય છાત્રોને નોટીસ અપાતાં પરીક્ષા વિભાગને ખુલાસો રજૂ કરતા આગામી ઇસી બેઠકમાં મૂકી માર્કશીટ રદ કરવા અંગે નિર્ણય લેવાશે.

પરંતુ ગત ઇસી બેઠકમાં કથિત કૌભાંડ થયું હોવાનું સ્વીકાયું છે . જેથી ખોટી રીતે પાસ થયા હોવાનું સાબિત થયું હોઈ માર્કશીટો પણ ખોટી જ છે. જેથી માર્કશીટ રદ કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં ર૦૧૮માં રિ- એસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવેલ ત્રણે છાત્રોને તેમની પાસ થયેલ માર્કશીટ રદ કેમ ન કરવી તે અંગે દિન-૧૦ માં ખુલાસો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.જેમાં ત્રણેય વિધાર્થીઓએ પરીક્ષા વિભાગમાં બંધ કવરમાં ખુલાસો આપ્યો હતો.

પરીક્ષા વિભાગને મળેલ ત્રણેય છાત્રોના ખુલાસાની એક ફાઇલ બનાવી વહીવટી પ્રક્રિયા બાદ ઈસી બેઠકમાં મુકવામાં આવનાર છે.અને ઈસી કમિટી દ્વારા જ આ ખુલાસા વાંચ્યા બાદ તેમની બચાવ પક્ષની રજૂઆતને માન્ય રાખવી કે કેમ તે નિર્ણય લઈને માર્કશીટ મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના કુલપતિ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024