પાટણ ખાતે આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની જન સંપર્કયાત્રા પાટણ તાલુકાના બોરસણ ગામથી બાઈક રેલી સ્વરૂપે પ્રસ્થાન પામી હતી. આ રેલી નોરતા ગામે પહોંચી હતી.

નોરતા ગામે નરભેરામ અન્નાક્ષેત્ર સંત દોલતરામ મહારાજના આશ્રમ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણનું દોલતરામ મહારાજે શાલ ઓઢાડી સ્વાગત સન્માન કયું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણે દેશના યશસ્વી વડાપ્રધાનની મહિલાઓ, બાળકો અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે તે તમામ યોજનાઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પ ટેલ, મહેસાણાના પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, સહિત જિલ્લા તાલુકાના વિવિધ હોદેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.