પવિત્ર શ્રાવણ માસનો આજે છેૡો સોમવાર છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ શિવજીની પૂજન અર્ચન કરી ભોળાનાથને રિઝવ્યાં હતા. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અને સોમવતી અમાવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં શિવભક્તોએ ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આગી કરવામાં આવી હતી.
જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.
શિવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમને પિ્રય એવા સોમવારથી શરૂ થયો હતો અને પૂણાહૂતિ પણ આજે સોમવારે થતા શિવ ભક્તોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો.
ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, સહિતના શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી જ ભગવાનને બિલિપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અપ્રણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના છેૡા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નમ: શિવાયના નાદ ગુજયો હતો.
પાટણ શહેરના મલ્હાર બંગ્લોઝમાં ૧ર જ્યોતિલીગના દર્શનની આગી કરાઈ હતી. તેમજ ૧.રપ લાખ બીલીપત્ર શિવજીને ચડાવવામાં આવ્યા હતા.