તોલમાપ અધિકારી ઉપસ્થિત રહી સચોટ માહિતી આપી…
આજરોજ સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર હાઇસ્કૂલમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારત સરકાર દ્રારા ” આઝાદી કા અમૃત મહોત્સવ – યોગ્ય ડિજિટલ નાણાકીય પધ્ધતિ ” થીમ પર 11 માર્ચ થી 17 માર્ચ દરમ્યાન ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર રાધનપુરના ઇન્ચાર્જ વિકાસભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિતિ રહી સચોટ માહીતી આપી હતી.
આ પ્રસંગે સૌ પ્રસંગે શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે મહેમાનનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગ્રાહકના શોષણના કારણો વિશે મોહમ્મદ ઝેદ, ગ્રાહક જાગૃતિ વિશે મિત ડાભી, અધિકારો અંગેના કાયદા વિશે સુરજ નાયી, ફરજો વિશે પ્રદીપ પંડ્યા,ઉપાયો વિશે હાઝી સૈયદ, ગ્રાહક મંડળ વિશે નિસર્ગ સોનારા,સંસ્થાઓ વિશે દલવાડી યશ,ફરિયાદ વિશે મેહુલ ચાવડા એ યોગ્ય પ્રતિભાવ આપ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય સંજયભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કડિયા, મહેબૂબભાઇ સિપાઈ, સાહિલકુમાર વિરતીયા, બાલસંગજી ઠાકોર, પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઇ પટેલે કરી હતી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી