અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લોકોમાં ભયનો માહોલ, કારણ જાણી ચોંકી જશો

પોસ્ટ કેવી લાગી?

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે(Ahmedabad-Vadodara Express Way) સ્થિત સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી(Highway Authority) અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા.

કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા

આ અંગે વાત કરતા વડોદરાના રાજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ(Ahmedabad) જઈ રહ્યા હતા. એ સમયે આણંદ જિલ્લાથી થોડે આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. મેં આ અંગે વાહનમાંથી નીચે ઉતરીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાની શક્યતા

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી(Diwali) જેવા તહેવારોને લઈને લોકો જણસો લઈ જતા હોઈ લૂંટના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે. જોકે, આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેઓએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures