રાધનપુર : ઉંદરગઢા ગામે સર્જાયો અકસ્માત.

પોસ્ટ કેવી લાગી?

રાધનપુર તાલુકાના ઉંદરગઢા ગામ પાસે બાઈક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

સાંતલપુર તાલુકાના ઉંદરગઢા ગામના વતની અને વૈવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જલાભાઈ દેસાઈ ઉંદરગઢા ગામ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન હાઈવે ઉપર તેમની બાઈક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી બાઇક સવાર શિક્ષક જલાભાઇ દેસાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે હાઇવે ઉપર લોકોના ટોળા એકત્ર થયા હતા. તેમજ થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ટ્રાફિક દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. શિક્ષકના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

https://youtu.be/7B0sQ4JaeAQ

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures