Radhanpur

રાધનપુર (Radhanpur) ના કલ્યાણપુરા નજીક આવેલા હાઇવે પરથી પસાર થઈ રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખેતરમાં ધસી આવી હતી. સવારે 7.00 વાગ્યે થયેલા અકસ્માતમાં વાડીમાં કામ કરી રહી રહેલા 3 ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો હતો.

કાળી ચૌદસની વહેલી સવારે રાધનપુરથી 7 કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં 7 વાગ્યાના સુમારે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા. આ દરમિયાન કચ્છ તરફથી આવાતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ક્રેટા સર્વિસ રોડ પરથી ઉતરીને ફૂલસ્પીડમાં ખેતરમાં ઘૂસી ગઈ હતી.

આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો

જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ક્રેટાએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2નો બચાવ થયો હતો. અહેવાલો મુજબ આ અકસ્માતમાં પ્રભુભાઈ ઠાકોર, ધનજીભાઈ ઠાકોર અને નભાભાઈ ઠાકોરનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોના શરીરને રાધનપુર રેફરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024