‘’રાણીની વાવ ઉત્સવ-2023’’: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું કરાશે આયોજન
‘’રાણીની વાવ ઉત્સવ-2023’’: રાણકી વાવનો થશે સુરોથી શણગાર
નામાંકિત કલાકારો ઈશાની દવે અને રાજભા ગઢવી રેલાવશે સુરોનો પ્રવાહ
વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન
મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં સંગીત સમારોહનું આયોજન
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાણીની વાવ ઉત્સવ-2023ની ઉજવણી તા.12 અને 13 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 8.00 કલાકે કરવામાં આવશે.
‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સુપ્રિદ્ધ યાત્રાધામો ખાતે વર્ષ-2023માં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત પાટણની રાણીની વાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં તા.12 ફેબ્રુઆરી 2023, રવિવારના રોજ સંગીતજ્ઞ-વ- ગાયીકા અને કલાકાર વૃંદ ઈશાની દવે અને તા.13 ફેબ્રુઆરી ના રોજ લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ રાજભા ગઢવી પોતાના સંગીત સુર રેલાવશે.
જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, રાજ્યના વિવિધ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જેના ભાગરૂપે પાટણની ઓળખ સમાન રાણીની વાવમાં પણ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત સમારોહમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો સંગીતના સુરો રેલાવશે. સંગીતના આ મહાસમારોહમાં સહભાગી થવા માટે હું પાટણ જિલ્લાના નાગરીકોને આમંત્રીત કરૂ છુ. આવો સૌ સાથે મળી આ સંગીત સંધ્યાને માણીએ અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.