પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પરના નવીન બસસ્ટેન્ડ નજીક બુધવારે સવારે 7:45 વાગ્યાના સુમારે એસટી બસના ચાલકે માગૅ પરથી પસાર થતાં બાઈક ચાલકને ટકકર મારતા બાઈક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચગદાઇ જવાથી ધટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ધટના સજૉવા પામી હતી. બનાવને પગલે 108 અને પોલીસને જાણ કરતા તેઓએ ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નવજીવન ચોકડી પાસે સજૉયેલ અકસ્માતના પગલે લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટયા હતા.

આ અકસ્માતની વધુ મળતી હકીકત મુજબ બુધવારે સવારે 7-45 કલાકના સુમારે પાટણ-અનવરપુરા- હારીજ એસટી બસ નવજીવન ચોકડી તરફથી નવા બસસ્ટેન્ડ તરફ જઈ રહી હતી, ત્યારે માગૅ પરથી બાઈક લઈને પસાર થઇ રહેલા ચાલકને એસટી બસની ટકકર લાગતા બાઈક ચાલક રોડ પર પટકાતાં એસટી બસના ટાયર તેની ઉપર ફરી વળતા બાઈક ચાલકનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થતાં પોલીસે ધટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાયૅવાહી હાથ ધરી હતી. મૃતક બાઈક ચાલક શહેરની ગુરૂકુળ સ્કૂલમાં ફરજ બજાવતો હોવાનું અને સંખારી ગામનો રહીશ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ અકસ્માત ના બનાવને લઈ પોલીસે કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

PTN NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/B67fr5AapGRKuUOBcdc3WF

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024