Surat Accident
સુરતના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણાને અડફટે (Surat Accident) લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, તેમજ મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે.
સુરતના ભટારથી સિટી લાઈટ જવાના રોડ પર મોડી સાંજે મર્સીડીઝ કાર અચાનક બેકાબુ બની જતા પાંચ લોકોને અડફેટે લીધા હતા. પહેલા ઉધના મગદલ્લા રોડ પર દંપતીને અડફેટે લીધા, જેના કારણે ટોળા ભેગા થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો જે દરમિયાન અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચઢાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડયો હતો.
![Surat Accident](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2021/01/surat-accident-2.jpg?resize=639%2C451&ssl=1)
ત્યારબાદ સાયકલ, બાઈક અને ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
![Surat Accident](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2021/01/surat-accident-3.jpg?resize=595%2C664&ssl=1)
અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ કાર યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલની છે. કારમાં માલિકને એરપોર્ટ ખાતે લેવા જતા આ અકસમાત સર્જાયો હતો. ખટોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.