સુરતની વિદ્યાર્થીનીએ ઓનલાઈન શિક્ષણમાં તણાવ અનુભવતા કરી આત્મહત્યા

પોસ્ટ કેવી લાગી?

Surat student

સુરતની વિધાર્થીની (Surat student) એ ઓનલાઈન અભ્યાસને લઇ પડતી તકલીફને લીધે આપઘાત કર્યો છે. મોટા વરાછા ખાતે રહેતી પ્રગતિ નામની વિધાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.  

મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ લુણાગરીયાની દીકરી પ્રગતિ ધોરણ 11માં ભણતી હતી. ઓનલાઇન અભ્યાસને કારણે પ્રગતિ માટે આ શિક્ષણ બહુ જ અઘરુ બની રહ્યું હતું. તે સતત તણાવમાં રહેતી હતી.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

આશાદીપ શાળામાં માતા સાથે પેપર લઈ પ્રગતિ ઘરે આવતી હતી ત્યારે માતા ને કોઈ કામ યાદ આવી જતા બજાર ચાલી ગયા હતા. ત્યારબાદ ઘરે આવી પરીક્ષાની તૈયારી કરતા દાખલામાં કંઈ સમજ ન પડતા એ પાડોશમાં બહેનપણી પાસે દાખલા શીખવા ગઈ હતી. જ્યાં એને દાખલા સમજાવી બહેનપણી એ ના સમજ પડે તો ફરી આવજે એમ કહ્યું હતું.

સુરતની આ વિદ્યાર્થીની માનસિક તણાવમાં આવી ગઈ હતી. તેના પિતાએ કહ્યું કે, તેને ઓનલાઈન શિક્ષણ ફાવતુ ન હોવાથી તે સતત ચિંતામાં રહેતી હતી. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures