Surat student

Surat student

સુરતની વિધાર્થીની (Surat student) એ ઓનલાઈન અભ્યાસને લઇ પડતી તકલીફને લીધે આપઘાત કર્યો છે. મોટા વરાછા ખાતે રહેતી પ્રગતિ નામની વિધાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.  

મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ લુણાગરીયાની દીકરી પ્રગતિ ધોરણ 11માં ભણતી હતી. ઓનલાઇન અભ્યાસને કારણે પ્રગતિ માટે આ શિક્ષણ બહુ જ અઘરુ બની રહ્યું હતું. તે સતત તણાવમાં રહેતી હતી.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

આશાદીપ શાળામાં માતા સાથે પેપર લઈ પ્રગતિ ઘરે આવતી હતી ત્યારે માતા ને કોઈ કામ યાદ આવી જતા બજાર ચાલી ગયા હતા. ત્યારબાદ ઘરે આવી પરીક્ષાની તૈયારી કરતા દાખલામાં કંઈ સમજ ન પડતા એ પાડોશમાં બહેનપણી પાસે દાખલા શીખવા ગઈ હતી. જ્યાં એને દાખલા સમજાવી બહેનપણી એ ના સમજ પડે તો ફરી આવજે એમ કહ્યું હતું.

સુરતની આ વિદ્યાર્થીની માનસિક તણાવમાં આવી ગઈ હતી. તેના પિતાએ કહ્યું કે, તેને ઓનલાઈન શિક્ષણ ફાવતુ ન હોવાથી તે સતત ચિંતામાં રહેતી હતી. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024