Tarak Mehta

તારક મહેતા (Tarak Mehta) શોએ 24 સપ્ટેમ્બરે 3000 એપિસોડ પૂરા કરીને એક નવો રેકોર્ડ કર્યો છે. તો ત્યારે હાલમાં શો અને દયા ભાભીના ફેન્સ માટે ખુશખબરી છે. ત્રણ વર્ષ પહેલાં શોમાંથી મેટરનિટી લીવ પર ગયેલી દયાભાભી હવે શોમાં પરત ફરવાની છે. તથા મેકર્સે દિશા વાકાણીને પરત બોલાવવાની બધી તૈયારીઓ કરી લીધી છે.

આ વર્ષે નવરાત્રીમાં દયા બેન કમબેક કરી શકે એવા પુરા એંધાણ છે. તેમજ છેલ્લા ઘણા દિવસથી દયા બેનના કમબેકના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મેકર્સ પ્રમાણે વાત કરીએ તો દયા બેનના કમબેક માટે નવરાત્રીથી સારો બીજો કોઈ તહેવાર ના હોઈ શકે. તેથી નવરાત્રીના કોઈપણ એપિસોડમાં દયા બેન પરત ફરી શકે છે.

દયા ભાભીનો રોલ એડા કરતી દિશાએ ત્રણ વર્ષ પહેલાં પ્રેગનન્સીને લીધે Tarak Mehta શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી. એક વર્ષ પછી જ્યારે એક્ટ્રેસ માતા બની તો તેમણે મેકર્સ પાસે બાળકીની દેખભાળ કરવા માટે સમય માગ્યો હતો. તો દીકરી મોટી થઇ તો દિશાની ડિમાન્ડ હતી કે તે શોમાં અમુક સ્પેશિયલ સીનમાં જ દેખાશે.

પરંતુ મેકર્સ તેને ફુલ ટાઈમ રાખવા માગતા હતા. એટલે વાત બની નહોતી. ત્યારબાદ ગયા વર્ષે મેકર્સ આ વાત સાથે સહમત પણ થઇ ગયા હતા અને દિશાનો એક પ્રોમો પણ શૂટ કર્યો હતો. પરંતુ ત્યારે પણ કોઈ કારણોસર વાત ન બની અને એક્ટ્રેસ શોમાં ન આવી.

ઉપરાંત આ વખતે જો દિશા કમબેક નહિ કરે તો તેને બદલે શોમાં કોઈ બીજી દયાબેન દેખાઈ શકે છે. જ્યારે આ વખતે તારક મહેતા (Tarak Mehta) શોમાં 3000 એપિસોડ પૂરા થયા અને સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું ત્યારે પણ ફેન્સ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે દયા બેનને પરત બોલાવો. એના વગર શોમાં મજા નથી આવતી. ત્યારે મેકર્સે ફેનનું સાંભળી લીધું હોય એવું લાગી રહ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024