થરાદની એસબીઆઈ બેન્ક દ્વારા ખેડૂતોને પાક ધિરાણની લોન આપવામાં આડોડાઈ કરાતાં થરાદ પંથકના ખેડૂતો રોષે ભરાયા છે.
ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે કેન્દ્ર અને રાજયસરકાર દ્વારા ખેડુતોને ૩ લાખ રૂપિયા જેટલી પાક ધિરાણ લોન આપવામાં આવી રહી છે અને તેનું ૭ ટકા જેટલું વ્યાજ કેન્દ્ર અને રાજય સરકાર ભોગવે છે જોકે બેન્ક ખેડૂત પાસેથી વ્યાજ એડવાન્સ કાપી લેતી હોવા છતાં પણ ખેડૂતો દરવર્ષ પાક ધિરાણ લઈ રહ્યા છે અને તેવો દર વર્ષે મુદલ અને વ્યાજ બેન્કમાં ભરીને તરતજ લોન રીન્યુ કરાવી લેતા હોય છે
જોકે આ વર્ષે થરાદ પંથકના ખેડૂતોને પોતાની લોનની રકમ અને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં એસબીઆઈ બેન્ક દ્વારા તેમને લોન રીન્યુ કરી આપવામાં આવતી ન હોવાથી તેમજ ખુબજ નાની રકમની લોન આપવાની વાત કરતાં ખેડૂતો રોષે ભરાયા છે.
મોટાભાગના ખેડૂતો થરાદના દૂરના ગામડાઓ માંથી આવી છેલ્લા ૧૦ દિવસથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ બેન્કના કર્મચારીઓ કે અધિકારીઓ ખેડૂતોને સરખો જવાબ આપતા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને ગતવર્ષ જે પાક ધિરાણની લોન હતી તે જ રીન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.